Wednesday, June 5, 2013

ખીલ થાય ત્યારે....


(1) ખીલ થયા હોય તો ચહેરા પર નારંગની છાલ ઘસવાથી ફાયદો થાય છે.
(2)તલનો જૂનો ખોળ ગાયના મૂત્રમાં કાલવી મોં ઉપર લેપ કરવાથી યુવાનીમાં થતા ખીલ દૂર તાય છે.
(3) પાકા, ખૂબ ગળી ગયેલા પપૈયાને છોલી, છૂંદીને ચહેરા પર થોડો સમય માલિશ કરવી- મસળવું. 15-20 મિનિટ બાદ સૂકાવા લાગે ત્યારે પાણીથી ધોઈ નાખી જાડા ટુવાલ વડે સારી રીતે લૂછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડિયા સુધી આ પ્રમાણે કરવાથઈ ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દૂર થઈ ચહેરો ખૂબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દૂર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતિ આવે છે.
(4) પાકાં ટામેટા સમારીને ખીલ પર બરાબર ઘસવાં. બેચાર કલાક એમ જ રહેવા દેવું. ત્યારબાદ હૂંફાળા પાણીથી ધોઈ નાખવું. આનાથી ચહેરાના ખીલ ઝડપથી મટી જાય છે.
(5) જાંબુના ઠળિયાને પાણીમાં ઘસી ચોપડવાથી યુવાનીને લીધે થતા મોં પરના ખીલ મટે છે.
(6) સવારે અને રાત્રે બાવળ, લીમડો કે વડવાઈનું દાતણ કરી એના કૂચાને મોં પર માંચેક મિનિટ ઘસતા રહેવાથી મોં પરના ખીલ મટે છે.

No comments:

Post a Comment